Wednesday, 17 April 2019

NEWS FOR HEMOPHILIA DATE :- 17/04/2019

SANDESH NEWS

HINDUSTAN

HINDUSTAN

NIRMAN NEWS

હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ

( ૧૭ એપ્રિલ , વિશ્વ હિમોફિલિયા દિવસ )

    હિમોફિલિયા એક અસાધ્ય આનુવંશિક બીમારી છે.તે લોહી ગંઠાવાની પ્રક્રિયામા કામ કરતા ઘટકની લોહી મા ઉણપના કારણે આ ખોડ ઊભી થાય છે.આના કારણે શરીરના સ્નાયુઓ,સાંધાઓ,પેશાબવાટે અને મગજમા આંતરીક રક્તસ્ત્રાવ થાય છે.લોહીના ફેક્ટર ૮ અને ૯ ની ખામી હોય છે.

💧ખામી એટલે શુ ?

            દરેક વ્યક્તિના લોહીમાં ૧૩ લોહી ગંઠાવાના ઘટક હોય છે.જે લોહી ગંઠાવાની પ્રક્રિયામા કામ કરે છે.આ રોગના દર્દીઓને જન્મથી ફેક્ટર ૮ અને ૯ ની ખામી હોય છે.જેના કારણે ઇજા કે ઇજા વગર રક્તસ્ત્રાવ થાય છે.

💧 હિમોફિલિયાની સારવાર શુ છે ?

             હિમોફિલિયાની સારવાર રૂપે ખૂટતા જીવનરક્ષક ફેક્ટર આપવા આદર્શ સારવાર છે, પરંતુ જીવનરક્ષક ફેક્ટર ભારતમા બનતા નથી. જે આયાત કરીને લાવવા પડતા હોય છે. આ રાજયની સવેઁદનશીલ સરકાર ૨૫ કરોડ જેટલી માતબર રકમ દર્દીઓ પાછળ ખર્ચે છે. ગુજરાતની મોટા ભાગની જિલ્લા સરકારી હોસ્પિટલમા નિઃશુલ્ક હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ છે.

💧એક વખતનો સારવારનો ખર્ચ કેટલો થાય?

             એક વખતનો સારવારનો ખર્ચ ૧૦ થી ૨૦ હજાર રૂપિયા થતો હોય છે. તીવ્ર હિમોફિલિયા ધરાવનાર વ્યક્તિને મહિનામા ૩ થી ૪ વાર આ સારવારની જરૂર પડતી હોય છે.

💧આ દર્દીઓને સમયસર સારવારના અપાતા શુ થઇ શકે ?

            જો આ દર્દીઓને સમયસર સારવાર અને જીવનરક્ષક ફૅક્ટરના આપવામા આવે તો કાયમી ખોડ રહી જાય છે. દર્દી નાની ઉમરમા પંગુતાને ભેટે છે. કરોડરજ્જૂ કે મગજમા આંતરીક રક્તસ્ત્રાવ થાય છે. સારવારના અભાવે આ દર્દીઓમા જીવલેણ નીવડી શકે છે.

💧શા માટે આ દર્દીઓને મદદની જરૂર છે ?

              આ “દર્દ” ના દર્દીઓ માટે આની જન જાગ્રુતી થાય અને આગામી દિવસોમા આ ખામીને અને આ દર્દીઓને જીવનસુરક્ષા અને જીવનવીમા જેવુ કવચ પ્રાપ્ત થતુ નથી તો આપણે સહુ સહકાર સાથે આ દર્દીઓને જીવનમા ઉપયોગી થયીને પ્રેરણારૂપી પગલુ ભરીએ. આ દર્દી અને તેના પરિવાર ના દુખના સહભાગી બનીયે.

💧હિમોફિલિયાના દર્દીઓ માટે આપણે શુ કરી શકીએ ?

એક હિમોફિલિત દર્દીને દત્તક લઈ તેની શૈક્ષણિક અને સારવારનો ખર્ચ ઉપાડી સહાનુભૂતિ થઈ શકાય.
આવા દર્દીને આપણા ધંધા રોજગારના માધ્યમથી રોજગારી અપાવીને પગભર કરી શકાય.
આવી દર્દીના પરિવારને રોજગારી આપી મદદરૂપ થઇ શકાય.
આપણા કુટુંબ,મિત્રમંડળ તથા સગા સંબંધીઓ મા આ દર્દ વિશે જાણકારી આપી જાગ્રુતતા લાવીએ.

આ પ્રકારના દર્દીઓ આપના જાણમા હોય તો અમારો સમ્પર્ક કરાવી શકો છો
ચાલો, સાથે રહીને હિમોફિલિયા પરિવારને મદદરૂપ થઇએ

હિમોફિલિયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ
ચેરમેન,
પ્રવિણસિંહ.જે.મોરી

1 comment: