શંકર દયાલ શર્મા ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ઓમાનની મુલાકાતે હતા. તેઓ રાષ્ટ્રપતિ તરીકે ઓમાનના પ્રવાસે હતા.
એરપોર્ટ પર હાજર રહેતા નથી. ઓમાનના રાજા કદી કોઇને લેવા જતા નથી. તેઓ ગમે તે દેશના મહેમાન કે રાષ્ટ્રપતિને તેમના મહેલમાં જ મળે છે.
પરંતુ જ્યારે શંકર દયાલ શર્મા ઓમાનની મુલાકાતે આવ્યા ત્યારે તમામ પ્રોટોકોલ છોડીને એરપોર્ટ પર હાજર રહ્યા. શર્મા સાહેબ વિમાનમાંથી નીચે ઉતર્યા ત્યારે ઓમાનના રાજાએ તેમનુ હાર પહેરાવીને સ્વાગત કર્યું. તેઓ તેમની સાથે રહીને જે કારમાં રાષ્ટ્રપતિને લઇ જવાના હતા તે કાર સુધી ચાલતા આવ્યા.
કારનો ડ્રાઇવર ઉભો હતો તેને કહ્યું કે તે બીજી ગાડીમાં આવે અને ચાવી મને આપે. ઓમાનના રાજા ડ્રાઇવરની સીટ પર બેઠા અને શર્મા સાહેબને તેમના નિવાસ સ્થાને પહોંચાડ્યા. જ્યારે તે હોટલમાંથી રાજા બહાર નીકળતા હતા ત્યારે તેમને પત્રકારોએ એ પુછયુ કે તમે આજે તમામ પ્રોટોકોલનો ભંગ કરી ભારતના રાષ્ટ્રપતિને હોટલ સુધી લાવીને તેમનો આદર સત્કાર કર્યો. આનું કારણ
ત્યારે ઓમાનના રાજા એ કહ્યુ શર્મા સાહેબ માત્ર ભારતના રાષ્ટ્રપતિ છે તેથી તેમનો આદર સત્કાર નથી કર્યા પરંતુ તેઓ મને કેમ્બ્રીજ યુનિવર્સિટી મા ભણાવનાર મારા ગુરુ હતા.
એક શિષ્ય માટે ગુરુથી વિશેષ કોઇ નથી.
✏🖋
તમામ ગુરુઓને શિક્ષક દિન નિમિતે અર્પણ.
No comments:
Post a Comment